Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

પ્રભાસ પાટણઃ સાગરખેડૂ જોડાયા મતદાન જાગૃતિ અભિયાનમાં

પ્રભાસ પાટણ ગીર-સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા બેઠકમાં કુલ ૮,૮૩,પ૧ર મતદારો પૈકી વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન કાર્યરત છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં દરિયો ખેડતા સાગરખેડુતો પણ સહભાગી થઇ રહેલ છે. વેરાવળ બંદરમાં ચીફ ઓફીસર જતીન મહેતા, મામલતદાર કચેરી, ફિશરીઝ વિભાગ અધિકારીઓ સાથે માચ્છીમાર ભાઇઓ મતદાન કાર્યક્રમ જાગૃતિ યોજી અભિયાનમાં સહભાગી થયા. આ તકે લાલજીભાઇએ જણાવેલ કે મતદાન જો કોઇ દાનથી કામ નથી આથી વધુમાં વધુ મતદાન કરવા જણાવેલ હતુ. તસ્વીરમાં સાગરખેડૂતો નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(12:02 pm IST)