Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઉમિયા માતાજી મંદિર સિદસરના મુખપત્રમાં નવા હોદેદારોની વરણી

પ્રો.ડો. જયેશ વાછાણી-રજની ગોલ- પ્રો.ડો. જે.એમ. પનારા

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી મંદિર  સિદસરના નેજા હેઠળ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા પ્રકાશીત થતુ માસીક મુખપત્ર 'ઉમિયા પરિવાર'માં નવા હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે.

તાજેતરમાં જ રાજકોટ ઉમાભવન ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી. જેમાં ઉમિયા પરિવાર મુખપત્રના પ્રકાશન સમિતિના ચેરમેન તરીકે પ્રો.ડો. જે.એમ.પનારા, તંત્રી તરીકે પ્રો.ડો. જયેશ વાછાણી અને સંપાદક તરીકે રજની મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, વરિષ્ઠ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ,  વરિષ્ઠ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુએ નવનીયુકત હોદેદારોને આવકાર્યા હતા. સ્વૈચ્છીક નિવૃત થયેલા પ્રિ.કે.એમ પટેલ તથા રમેશભાઇ ઘોડાસરાને તેમની અન્નય સેવાઓ બદલ આભાર વ્યકત કરી તેમને વિદાયમાન આપ્યુ હતુ.

(11:30 am IST)