Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જોડીયાના દલીતો દ્વારા રાત્રીએ બિસ્માર રસ્તાના પ્રશ્ને હલ્લાબોલ

સરપંચ તા.પં.પ્રમુખ સભ્યોનો ઘેરાવ કરાયો

જોડીયા, તા. ર૯ : લક્ષ્મીપરા તથા બાદનપર (જં) જાવા માટે એક માત્ર રસ્તો જે નવી ગ્રામ પંચાયત પાસે આવેલ છે તે રસ્તો ભૂગર્ભ ગટરના છલકાતા દુષિત પાણીથી બિસ્માર બનતા તે બિસ્માર રસ્તા પર પંચાયત તંત્ર દ્વારા પત્થરોના ઢગલા કરતા તેના કારણે તે વિસ્તારની પ્રજામાં આક્રોશ જોવા મળેલ.

દુષિત પાણીમાંથી પ્રસાર થવું પડે છે તે ઉપરાંત તે રસ્તાના આસપાસ રહેતા લોકો માટે નર્ક સાબિત થઇ રહ્યું છે અને અનેક મુસીબત ભોગવતા તે વિસ્તારની પ્રજાને ગંદકીનો સામનો કરવો પડે છે અને ગંભીર રોગચાળો ફેલાવાની શકયતાથી ગરીબ પ્રજા ફડફડી રહી છે તેના નિકાલ અર્થે ગઇરાત્રીના પ્રજાએ સરપંચ, તા.પં. પ્રમુખ તથા સભ્યો સાથે હલ્લાબોલ કરાયો હતો. જોડીયાના ભૂગર્ભ ગટર બાબત આંખ આડા કાન કરી રહ્યા છે. આ બાબત સ્થાનિક અને જિલ્લા તંત્રના અનેક બેઠક કરી ચૂકયા છે. છતાં પ્રશ્નોનો ઉકેલ આવતા નથી.

(11:33 am IST)