Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભારતના દરિયા કાંઠે 3જી જાન્યુઆરીથી પોરબંદરથી નીકળશે માછીમારોની રેલી

નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્‍થાની આગેવાનીમાં દેશના 8400 કિમી દરિયા કિનારે ફરશે

વેરાવળ :આગામી 3 જાન્યુઆરી 2019થી નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્‍થાની આગેવાનીમાં પોરબંદરથી માછીમારોની રેલી કાઢી દેશના 8400 કિમી દરિયા કિનારે ફરશે. વર્ષ 1965થી સક્રિય કામ કરતી નેશનલ ફીશવર્કસ ફોરમની એક બેઠક વેરાવળમાં મળી હતી. જેમાં GST, મુરારી સમિતિના અહેવાલની અમલવારી અને નવો આવી રહેલો CRZ કાયદાથી માછીમાર સમાજના અસ્‍તિત્ત્‍વ સામે જોખમ ઉભું થયું હોવાથી તેનો વિરોધ નોંધાવશે.

(7:53 pm IST)