Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હાર્દિક પટેલના સમર્થનમાં જામજોધપુરમાં પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ

જામજોધપુર તા. ર૯ :.. અનામત આંદોલન અને ખેડૂતોના દેવાતા માફ કરવા વગેરેને લઇને પોતાના નિવાસ સ્થાને ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ શરૂ કરાયા છે. તેમના સમર્થનમાં આજરોજ જામજોધપુર પટેલ સમાજ મુકામે પાંચ સમિતિના કન્વીનર પ્રવિણભાઇ ખાંટ, ના નેજા હેઠળ પ્રતિક ઉપવાસ આંદોલનમાં આજે અત્યારે પચાસેક પાટીદાર ભાઇઓ જોડાયા છે. તેમજ હજુ આ પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં જોડાવવા પટેલ સમાજ તરફ પાટીદારો જઇ રહ્યા છે. બહેનો પણ જોડાયા છે. તેમજ આ સાથે જામજોધપુર કડવા પાટીદાર સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટ પણ ઉપવાસ માં જોડાયા છે. ઉપવાસી છાવણીની મુલાકાત જ્ઞાતિ અગ્રણીએ શુભેચ્છકો લઇ રહ્યા છે. પટેલ સમાજની બહાર ગુપ્તચર તંત્ર પોલીસ ચાંપતી નજર રાખી રહ્યા છે. (પ-૧૯)

(11:52 am IST)