Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ધોરાજીમાં સ્વ. અટલજીને શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લીમ સમાજની એકતાના દર્શન થયા

ધોરાજી શહેર ભાજપ દ્વારા અટલ બિહારી બાજપઇને શ્રદ્ધાંજલી અર્પવાના કાર્યક્રમમાં કોમી એકતાના દર્શન થયા હતા તે પ્રસંગની તસ્વીર(તસ્વીર, કિશોરભાઇ રાઠોડ, ધોરાજી)

ધોરાજી તા. ર૮ : ધોરાજી શહેર ભાજપ દ્વારા ભારત રત્ન અટલ બીહારી બાજપાઇને શ્રદ્ધાંસુમન અર્પવા શ્રદ્ધાંજલી સભા રાખેલ જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ શ્રદ્ધાંજલી અર્પણ કોમી એકતાના દર્શન થયા હતા.

ધોરાજી લેઉઆ પટેલ સમાજ ખાતે શહેર ભાજપ દ્વારા રાખવામાં આવેલ ભારત રત્ન અટલ બીહારી બાજપાઇને શ્રદ્ધાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજેલ જેમાં પ્રણામી મંદિરના પૂ.શ્રી સાધ્વી નિર્મલાજીએ અટલજીને યાદ કરી અનેક પ્રસંગો વર્ણાવેલ હતા. આ સામે ધોરાજીના જાણીતા જાણીતા ડો. સુરેશભાઇ પટેલ(એમ.ડી.) ધોરાજી વેપાર વિદ્યા મંદિરના રણછોડભાઇ વધાસિયા ડી.જી.બાલધા વિગેરેએ પ્રાસેગીક પ્રવચન કર્યા હતા અને શબ્દોથી અટલજીને શ્રદ્ધાસુમન આપ્યા હતા.

આ પ્રસંગે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, પૂર્વ નગરપતિ વી.ડી.પટેલ, ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી, લુહાર સમાજના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોળવાણી-મુકતાબેન તથા સિંધી કાશમમીયા બાપુ સૈયદ, સલીમભાઇ શેખ, શાહનવાજ પોઠીવાલા, અરવિંદભાઇ વોરા, જયસુખભાઇ ઠેસીયા, અનિલભાઇ વઘાસિયા, પ્રભુદાસભાઇ માવાણી, સુખદેવસિંહ વાળા, લલીતભાઇ ઉકાણી, સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાં સુમન અર્પણ કરેલ હતા.(૬.૧)

(9:34 am IST)