Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભાવનગરમાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા ૧,૨૭૫ કેસો પૈકી ૪૧૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર તા.૨૯ : ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭  સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે.

જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે ૧, મહુવાના બેલમપર ગામ ખાતે ૨, મહુવાના કંટાસર ગામ ખાતે ૧, મહુવાના બોડા ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૪, તળાજાના સથરા ગામ ખાતે ૩, તળાજાના મણાર ગામ ખાતે ૧, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, વલ્લભીપુરના નવાગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૦ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૧ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૪૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. ઙ્ગઆમ જિલ્લામા નોંધાયેલા ૧,૨૭૫ કેસ પૈકી હાલ ૪૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૮૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.(

(11:43 am IST)