Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોનાના કારણે લોકોની જીવનશૈલી, સામાજીક પાસા, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધિત જીવનશૈલીમાં બદલાવ

માંગરોળનાં સચિન પીઠડીયા અને રાજકોટના ડો.પંકજ મુછડીયાના ઓનલાઇન સર્વેમાં તારણ

 જૂનાગઢ,તા.૨૮: માંગરોળનાં સચિન જે.પીઠડીયા અને રાજકોટના ડો.પંકજ મુછડીયાએ કોવિડ-૧૯ અને બદલાતી જીવનશૈલી વિષે ઓનલાઇન સર્વેક્ષણ અહેવાલ જૂન-૨૦ પ્રસ્તુત કર્યો છે. પ્રસ્તુત સર્વેક્ષણમાં નવા કોરોના વાયરસથી પેદા થયેલ કોવિડ-૧૯નાં સંક્રમણના લીધે સમગ્ર ભારતમાં ૨૫ માર્ચેથી ચાર તબક્કામાં લોકડાઉન થયું હતું જેની અસર એ સમાજજીવનના સામાજિક પાસાનાં કુટુંબ, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધિત રોજિંદા જીવનશૈલીમાં બદલાવ આવતાં લોકોની આદતો બદલાય છે. અને બીજી બાજુ આર્થિક તેમજ પર્યાવરણ પર પણ અસર જોવા મળી છે. તેનો અભ્યાસ કરવાના હેતુના સંદભેમાં માંગરોળમના સચિન જે. પીઠડીયા (એમએ એમફીલ, નેટ,બીએડ-સમાજશાસ્ત્ર )તથા રાજકોટ ડો.પંકજકુમાર એમ.મુછડીયા (એમએ, એમ.ફીલ, બીએડ, પીએચડી) એ કોવિડ-૧૯ અને બદલાતી જીવનશૈલીના વિષય પર ઓનલાઇન ગુગલના માધ્યમથી માત્ર ૨૦ દિવસના ટુંકા ગાળામાં સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતનાં કુલ ૩૩ જિલ્લામાંથી ૫૦૦ કરતા વધુ લોકોએ ૬૧ જેટલા પ્રશ્નો પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

કોરોના વાયરસથી ઉદભવેલા લોકડાઉનની શ્રમિકો , ઉદ્યોગો અને બેરોજગારો, શિક્ષણ, આરોગ્ય વિવિધ ક્ષેત્રમાં અસરકારતાએ પ્રસ્તુત અભ્યાસથી સામે આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા પરંતુ તેની અભિરૂચિમાં ઘટાડો થયો. જેમાં ૩૩.૯ ટકા  લોકો ઓનલાઇન શિક્ષણને આવકારે છે. જ્યારે ૧૧.૧ ટકા લોકોની ઓનલાઇન શિક્ષણ પ્રત્યે અભિરૂચિ ઓછી થઇ છેતવું જણાવે છે.તેની પાછળનું કારણ લોકોના મતે એ છે કે, ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટરની ઓછી સુવિધા, કોમ્પ્યુટર ન હોવું બાળકોમા ં આંખોને લગતી સમસ્યા, વાલીઓને ઓનલાઇન શિક્ષણની જાણકારીનો અભાવ, વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ કે ટેબ્લેટ વગેરે સવલતો ન હોવી જેવી બાબતો જાણવા મળી છે. તો બીજી બાજુ ૯૨ ટકા લોકોના મતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો નવી નોકરીની તક મળશે કે નહીં તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. જેથી શિક્ષિત બેરોજગારોનો વિકટ પ્રશ્ન ઉદભવ્યો છે. તે મોટો પડકાર છે.

૯૧.૮ ટકા લોકોના મતે લોકડાઉનથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવે છે. ૨૬.૪ ટકા પ્રાથમિક, ૦૬ ટકા માધ્યમિક, ૫.૪ ટકા ઉચ્ચ માધ્યમકિ ૧૨.૮ ટકા લોકો કોલેજ કક્ષાનું તેમજ ૮.૨ ટકા લોકો યુનિવર્સિટી કક્ષાનું ઓનલાઇન શિક્ષણ મેળવતા હોવાનું જણાવે છે. ૯૭.૬ ટકા લોકો માને છે કે કોરોના વોરિયર તરીકે સરકારી પ્રાથમિક શાળાની મહિલા શિક્ષકો, નર્સો, મહિલા પોલીસ કર્મચારી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેને દેશનું ગૌરવ ગણાવે છે.

૯૭.૪ ટકા લોકો માને છે કે રાજયમાં વોરિયર્સ જેવા કે મહિલા શિક્ષિકોઓ, પોલીસ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓને પણ કોરનાનો ચેપ લાગી રહ્યો છે. તેને લોકો ચિંતાનો વિષય માને છે.

પર્યાવરણ ક્ષેત્રમાં ૯૮.૮ટકા લોકો માને છે કે, લોકડાઉનની પર્યાવરણના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તો ૯૬.૮ ટકા લોકોના મતે લોકડાઉનની ભારતની નદીઓના પાણી શુધ્ધ થયા છે. માટે હવે નદીઓના પાણી દુષિત ન થાય તે અંગેની સભાનતા આપણી સૌની હોવી જોઇએ. કોઇ પણ પ્રકારની સામાજિક, ધાર્મિક ક્રિયાઓ નદી કિનારે ન કરવી જોઇએ. નદીઓમાં કચરો ન ફેકવો જોઇએ જળ એ જ જીવન છે. તે સુત્રને સ્વીકારવું જોઇએ. ૮૬.૮ ટકા લોકોના મતે કોરોના વાયરસના સંક્રમણથી જેવી મોબાઇલ એપ્લીકેશનથી ઓનલાઇન ટ્રાન્જેકશન અને ખરીદીને આવકારે છેતેથી સામે માત્ર ૧૩.૨ ટકા લોકો ડિઝિટલ ટ્રાન્જેકશનને નકારે છે.

લોકડાઉનની કૌટુબીક સંબંધોના વલણો સુધારો જોવા મળ્યો છે. જેમાં ૮૯.૬ ટકા લોકો માને છે. કે કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનથી કુટુંબના સભ્યો એકબીજાથી નજીક આવ્યા છે. ૭૮ ટકા લોકોના મતે વિભકત કુટુંબના સભ્યો પણ એકબીજાથી નજીક આવ્યા નથી.તેની સામે ૨૨ લોકમત રજુ કરે છે કે વિભકત કુટુબના સભ્યો એકબીજાની નજીક આવ્યા નથી. જ્યારે ૭૧.૪ ટકા લોકના મતે એક જ મહોલ્લામાં રહેતા અલગ-અલગ કુટુંબના સભ્યો નજીક આવ્યા છે. લોકડાઉન થતા ૪૪.૪ ટકા કુટુંબના સભ્યો એકબીજાથી નજીક આવતા માનસીક તાણ ઘટી પરંતુ કુટુંબની આવક ઘટતા જ માનસીક તાણમાં વધારો થયો છે. તેમ સચિન જે. પીઠડીયા અને ડો. પંકજ મુછડીયાએ જણાવ્યું છે.(

(10:05 am IST)