Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સાયલાના ધાધલપુર પાસે બે બાઇક ભટકાતા નવાગામના સુમીતનું મોત

ચાર દિવસ પહેલા બનાવ : યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક

રાજકોટ,તા. ૨૯: સુરેન્દ્રનગરના ધાધલપુર પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા નવાગામના યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના નવાગામમાં રહેતો સુમીત રાજુભાઇ મકવાણા (ઉવ.૨૭) ગત તા. ૨૫ના રોજ પોતાનું મોટર સાયકલ લઇને જતો હતો. ત્યારે ધાધલપુર ગામ પાસે બીજા મોટરસાયકલ સાથે ભટકાતા યુવાનને ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રનગર પોલીસે પ્રાથમીક કાગળો સુરેન્દ્રનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:29 am IST)