Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : એક દર્દીનું મોત :નવા 144 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 372 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 69 કેસ ,જૂનાગઢ તાલુકામાં 9 કેસ,કેશોદ અને માંગરોળમાં 11-11 કેસ, વિસાવદર અને માળીયામાં 10-10 કેસ,માણાવદરમાં 8 કેસ,મેંદરડામાં 6 કેસ,ભેસાણ અને વંથલીમાં 5-5 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે આજે  વધુ એક દર્દીનું મોત થયું છે, આજે કોરોનાના નવા 144 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 372 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 144 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 69 કેસ ,જૂનાગઢ તાલુકામાં 9 કેસ,કેશોદ અને માંગરોળમાં 11-11 કેસ,  વિસાવદર અને માળીયામાં 10-10 કેસ,માણાવદરમાં 8 કેસ,મેંદરડામાં 6 કેસ,ભેસાણ અને વંથલીમાં 5-5 કેસ નોંધાયા  છે

(9:09 pm IST)