Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જામનગરમાં પ્રિમોન્સૂન કામગીરી છતા કેનાલોમાં કચરાના ગંજ

જામનગરઃ ચોમાસું બેસે તે પહેલાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જ જામનગરના કમિશ્નર સતિષ પટેલ દ્વારા મીડિયાને સંબોધન કરી શહેરમાં વરસાદ પૂર્વે તમામ પ્રિમોન્સૂન કામગીરી માટે તંત્ર દ્વારા આયોજન કરી સાફ સફાઇ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરંતુ જામનગરની લાખોટા તળાવમાં રણજીત સાગર લાલપુર બાયપાસ તરફથી આવતી કેનાલમાં કચરાના ગંજ જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદની પણ આગાહી છે તેવા સમયે તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સૂન કામગીરી આ કેનાલમાં ન થઇ હોવાની આ તસ્વીરો બયાન કરી રહી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા.જામનગર)(

(1:04 pm IST)