Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગોંડલમાં કાલથી ઝાપડા પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

ગોંડલ, તા. ર૯ : કપુરીયાપરા મેઇન રોડ પર ગં.સ્‍વ. ભરવાડ જડીબેન કડવાભાઇ ઝાપડા દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્‍સવનું આયોજન તા. ૩૦થી તા. ૭ જુન સુધી કરેલ છે.

જેમાં વ્‍યાસાસને શાષાી ભરતભાઇ રાવલ સંગીતમય શૈલીમાં તથા સુમધુર વાણીમાં કથાનું શ્રવણ કરશે.

કાલે તા. ૩૦ના બપોરે ૩-૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે. તા. ૧ના શિવલીંગ પ્રાગટય તથા તા. ૩ના  શિવપાર્વતી વિવાહ તથા તા. ૭ના સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. કથાનો સમય સવારે ૯થી ૧ર તથા ૩ાા થી ૬ાા રાખેલ છે. ધાર્મિક પર્વનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે

(10:18 am IST)