Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ભાવનગરમાં ર૪ કલાકમાં વધુ કોરોનાના પાંચ પોઝીટીવ કેસ

કુલ આંક ૪૬: અત્યાર સુધીમાં પ ના મોતઃ વાયરસના કહેરથી લોકોમાં ચિંતા

ભાવનગર તા. ર૯ :.. ભાવનગરમાં ર૪ કલાકમાં વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૪૬ થયો છે.

કોરોના વાઇરસનો કહેર ભાવનગરમાં વધતો જાય છે કાલે ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે બુધવારે સવારે વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક ૪૬ થયો છે.

ભાવનગરનાં કલેકટર મકવાણાનાં જણાવ્યા મુજબ શહેરનાં અમીપર વિસ્તારમાં રહેતાં  કિશોરભાઇ સોલંકી ઉ.૬પ અને જય હિતેશભાઇ સોલંકી ઉ.૧૦ નો આજે સવારે પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.

કોરોના વાઇરસનો કેર ભાવનગરમાં વધી રહ્યો છે. ગઇકાલે વધુ ત્રણ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં શહેરનાં શિશુ વિહાર યુસુફ બાગ ફલેટમાં રહેતા સબીનાબેન ઇર્શાદભાઇ ઉમરાવી ઉ.ર૪ નો સવારે પોઝીટીવ કેસ આવ્યા બાદ તેના પતિ ઇર્શાદભાઇ યુસુફભાઇ ઉમરાળા ઉ.ર૯ નો પણ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.

આમ પતિ-પત્ની બન્ને કોરોના સંક્રમતી થયા છે. આ ઉપરાંત શહેરનાં કરચલીયાપરા વિસ્તારમાં રહેતાં અમીનાબેન અબ્દુલભાઇ યામની ઉ.પ૦ નો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. આમ આજે એક જ દિવસમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનાં કુલ ૪૪ કેસ નોંધાયા છે જેમાં પાંચનાં મોત નિપજયા છે જયારે ર૧ દર્દીઓ સાજા થયા છે. હવે સરટી હોસ્પીટલમાં ૧૮ દર્દીઓ સારવારમાં રહ્યા છે.

(11:33 am IST)