Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

અંજારના મેઘપર બોરીચી ગામે કચરો ફેકવાને મુદ્દે થયેલ હુમલામાં પાંચ ઘાયલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૯:  અંજારના મેઘપર બોરીચી ગામે આજે સવારે બે પરિવારો વચ્ચે કચરાની બાબતે ઘમાસાણ થતાં હથિયારો વડે હુમલો કરાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ધારીયા અને લાકડી વડે કરાયેલા હુમલામાં પાંચ જણા ઘાયલ થયા છે. ઘાયલોને આદિપુર ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)