Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

તળાજાના શોભાવડના યુવાનની વાડીના કુવામાંથી લાશ મળતા ચકચાર

અસ્થિર મગજના દેવીદાસ ઉર્ફે નાનકો નથુરામ દુધરેજીયાની લાશ મળી :પોલીસ તપાસ શરૂ

 

તળાજા તાલુકાના શોભાવડ ગામે રહેતા દેવીદાસ ઉર્ફે નાનકો નથુરામ દુધરેજીયા નામના યુવાનની ગામમાં આવેલ ઉકાભાઇ જનાભાઇ વાઘોસીયાની વાડીના કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

   . બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશ બહાર કાઢી પી.એમ. અર્થે તળાજા હોસ્પીટલ ખસેડાયો હતો. બનાવમાં પ્રાથમિક વિગતો મુજબ યુવાન અસ્થિર મગજનો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(1:07 am IST)