Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

અમરેલીના દેવળકીના ખેડૂતની વાડીમાં શોક સર્કિટના કારણે આગ લાગતા ૫ વીઘા ઘઉંનો પાક બળી ગયો

મોટી પાનેલી તા.૨૯

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવળકી ગામના ધર્મેશભાઈ મોહનભાઈ બોરડની વાડીમાં શોક સર્કિટના કારણે ૫ વીઘાના ઘઉંનો પાક  આગ લાગવાથી બળી ગયો છે.

    GEBની ટીમ દ્વારા સ્થળ પર આવીને સર્વે કરવામાં આવ્યું છે ખેડુતના મોઢે આવેલ કોળીયો છીનવાયો છે. આ ખેડુતની પરિસ્થિતિ પણ સાવ સામાન્ય છે એ ખેડુત પાસે કુલ 8 વિઘા જમીન છે તેમાં પણ પાંચ વીઘાના ઘઉ શોક સર્કિટ ના કારણે બળીને ખાખ થઈ જતા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ થઈ છે.( ચંદ્રેશ હિરાણી- મોટી પાનેલી)

(12:16 pm IST)