Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જુનાગઢ ઉપલા દાતાર પુ. પટેલબાપુની પુણ્યતિથીની ઉજવણી

જુનાગઢ : ઉપલાદાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલ બાપુની ગઇકાલે પુણ્યતિથીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૧૦ કલાકે પુ.પટેલ બાપુની સમાધીનું દાતારની જગ્યાના મહંત શ્રી ભીમબાપુના હસ્તે પુજન કરાયુ હતુ. હવનનું પણ આયોજન કરાયુ હતુ અને રાત્રે ૧૦ કલાકે ભજન સંધ્યા, નિરંજન પંડયા, બિરજુ બારોટ પોતાની આગવી શૈલીમાં ભજનો રજુ કર્યા હતા. તસ્વીરમાં પટેલબાપુની સમાધીનું પુજન કરતા અને હવનમાં આહુતિ આપી હતી. પુ. ભીમબાપુ અને દાતાર સેવકો તેમજ સંતવાણીના સુરરેલાવતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી,  તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:00 pm IST)