Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

એક વર્ષમાં ૧૬૮ મહિલાઓનું સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા પુનઃસ્થાપના કરાવાયું

પીડિતા મહિલાઓ માટે સાચા અર્થમાં ''સખી'' સાબિત થતું ભાવનગર

ભાવનગર તા.૨૯: મહિલાઓનાં ઉત્કર્ષ, સશકિતકરણ અને ખાસ તો મહિલાઓની સુરક્ષા માટે સંવેદનશીલ રાજય તથા કેન્દ્ર સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.

ભાવનગર જિલ્લામાં તમામ પ્રકારની પીડિત મહિલાઓ માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત માર્ચ ૨૦૧૯ થી શ્નઝ્ર–ક વન સ્ટોપ સેન્ટર'  સર. ટી. હોસ્પીટલના કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યુ છે. જેનું સંચાલન ભાવનગરના શ્રી સહજાનંદ એજયુકેશન ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ સેન્ટરના સેન્ટર એડમિનિસ્ટ્રેટર તરીકે શિવાનીબેન પ્રકાશભાઈ ધારુકીયા તથા આઇ.ટી . સ્ટાફમાં મિતલબેન  ભરતભાઇ ડાભી સેવા આપે છે.આ સેન્ટરમા દ્યરમાં, સમાજમાં અથવા ખાનગી કે જાહેર ક્ષેત્રના સ્થળે તમામ પ્રકારની હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલીક ધોરણે તબીબી સેવા, મનૌવૈજ્ઞાનિક પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા, ટુંકા ગાળાનો આશ્રય અને સંસ્થાકિય મદદ જેવી સંકલિત સેવા એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ જણાવ્યુ કે અત્યાર સુધી ૧૬૮ કેસો સખી વન સ્ટોપ સેન્ટરમાં નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસોનો નિકાલ લાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મહિલાઓ ઉપર થતી શારીરિક, જાતીય અને દ્યરેલુ હિંસાનો સમાવેશ થાય છે. જયારે દ્યણા કેસો મહિલાઓ પાસે દહેજની માંગણીને લગતા કેસો તેમજ દ્યર છોડી જવુ તેમજ ખોવાયેલ મહિલા મળી આવવી ના પણ જોવા મળેલ છે.

  તેઓએ ઉમેર્યુ કે દ્યણીવાર સેંન્ટર પર ખોવાયેલ મહિલા મળી આવવાના પણ સમાચાર મળતા હોય ત્યારે આવા સમયે ૧૮૧ અભયમ દ્વારા મહિલાને આશ્રય સ્થાન માટે તેમજ માનસિક પરામર્શ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવે છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરીને તેઓના દ્યેર સલામત રીતે પહોંચાડવાનું પણ કામ કરવામાં આવે છે.

 જિલ્લામાં હિંસાનો ભોગ બનતી મહિલાઓ કોઇ અગમ્ય કદમ ન ઉઠાવે તેમજ આવી મહિલાઓને સમયસર જરૂરી સહાય મળી રહે તે માટે મહિલાઓમાં જનજાગૃતિ આવે તે હેતુથી સેન્ટર દ્વારા ગામડાઓમા, શહેરના અંતરીયાળ વિસ્તારોમા, પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર સ્થળો ઉપર, આંગણવાડીઓ, હોસ્પિટલોમાં તેમજ કાઙ્ખલેજ અને સ્કુલોમાં જાગ્રુતિ શિબિરનુ આયોજન કરી ઙ્કસખીઙ્ખ વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામા આવતી સેવાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

OSC આશ્રય મેળવતી મહિલાઓને સમયસર જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સમયતાંરે તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે પુનૅંસ્થાપન કરાવવામાં આવે છે. જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કારણે પીડિત મહિલાઓમાં એક નવી આશાનો સંચાર કરીને મહિલાઓને વિકટ પરિસ્થિતિઓમાં સખી વન સ્ટોપ સેન્ટરે સાચા અર્થમાં'સખી'  બનીને હૂંફ અને પ્રેમની અનુભૂતિ કરાવી છે.

(11:12 am IST)