Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાયરસથી સમગ્ર ચીન ભયભીત બન્યુ છે : જૂનાગઢનો મોનાર્ક સાવલીયા

ચીનમાં ફસાયેલા જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓ સહી - સલામત પરતઃ રૂપાણી સરકારે વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત આવવા માટેની તાબડતોબ વ્યવસ્થા કરાવી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૯: ચીનમં ફાટી નીકળેલા કોરોના નામના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાઇ ગયો છે. ચીનમાં રહેતા અન્ય દેશના લોકો પરત આવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે જુનાગઢના ચાર વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે. ચીનમાં વસવાટ કરતા ભારતના એમ્બેસેડરએ  ત્રણ જ કલાકની અંદર જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત આવવા તાબડતોબ વ્યવસ્થા કરાવી દીધી હતી.  જેથી મોનાર્ક સહિતના તેના ત્રણ મિત્રો સહિ - સલામત પોતાના ઘેર પહોંચી ગયા  છે.

જુનાગઢના મોનાર્ક મનસુખભાઇ સાવલીયા નામનો વિદ્યાર્થી કે જે ચીનની રજધાનીમાં એમબીબીએસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. છેલ્લા વીસેક દિવસથી  ચીનની અંદર ડિટેકટ થયેલા  કોરોના નામનો વાયરસથી સમગ્ર ચીન ભયભીત  બન્યુ છે.  આ વાયરસ બેકાબુ બની ગયો છે અને લોકોના ટપોટપ મોત થઇ રહ્યા છે. ત્યારે ત્યાંની  સરકારે ચીનમાં વસવાટ કરતા અન્ય દેશના નાગરીકો , વિદ્યાર્થીઓ , ધંધાર્થીઓને પોતાના દેશમાં જવા માટેના અદેશો કરી દીધો છે. પરંતુ કોઇને કોઇ કારણોસર પોતાના દેશ પરત ફરવામાં  અનેક મુશ્કેલીઓનો સામનો   કરવો પડી રહ્યો છે.  ત્યારે મોનાર્ક સહિતના જુનાગઢ જિલ્લાના છ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ  જુનાગઢ મોનાર્ક સાથે પરત ફરતા તેના વાલીઓએ ખૂબજ રાહતનો શ્વાસ લીધો છે.

મોનાર્ક પોતાની આપવીતી જણાવે છે કે વાયરસના કરણે સમગ્ર ચીન ભયભીત બની ગયુ છે.  તેઓને જેલની જેમ જ રૂમમાં રહેવા મજબુર બનવુ પડતુ હતુ. આઠ-દસ દિવસ સુધી આવી રીતના રૂમમાં ને રૂમમાં પોતે દિવસો પસાર કરતા હતા. જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તેના યુનિવર્સિટીના સત્તાધિશોએ પણ  પોતાના દેશ જવા માટેના આદેશ આપી દીધા હતા.  પરંતુ વહીવટી કારણોસર ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેથી તેણે જુનાગઢના સ્થાન્કિ આગેવાનોનો સંપર્ક કર્યો  અને  તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સંપક કરાવી  અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  વિદેશ મંત્રાલયનો  સંપર્ક કરી અને વિદેશ મંત્રાલય ચીનની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જેથી ચીનમાં વસવાટ કરતા ભારતના એમ્બેસેડરે ત્રણ જ કલાકની અંદર જુનાગઢના ચાર વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત આવવા માટેની તાબડતોબ વ્યવસ્થા કરાવી દીધી હતી. જેથી મોનાર્ક સહિતના ત્રણ મિત્રો  સહિ-સલામત પોતાના ઘેર પહોંચી ગયા છે અને આ સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે.

(3:38 pm IST)