Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જુનાગઢમાં ભારત બંધના એલાનની નહિવત અસર

મોટાભાગની બજારો રાબેતા મુજબ ખુલી

જુનાગઢ તા.ર૯ :  જુનાગઢમાં ભારત બંધના એલાનની નહિવત અસર થઇ છે. અને મોટાભાગની બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી છે.

ડીએનએના આધારે એનઆરસીલાગુ કરવાની માંગ  સાથે ભારત બંધનુંએલાન આપવામાં આવેલ છે. પરંતુ જેનીજુનાગઢમાં કોઇ અસર જોવા મળી નથી અને મોટાભાગની બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી છે.

જો કે કેટલીક સ્કુલોની વાન ચાલકોએ બંધના સંદર્ભે સલામતીના ભાગરૂપે આજે બાળકોને લેવા મુકવાનું બંધ રાખ્યુ હતુ.

દરમિયાનમાં જુનાગઢના બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રેલીયોજી સ્વૈચ્છિક બંધ કરવા અપીલ કરી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

(1:25 pm IST)