Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગોંડલ અક્ષરદેરીના ૧૫૨માં પાટોત્સવની વિશિષ્ટ ઉજવણી

 ગોંડલઃ વિશ્વવિખ્યાત અક્ષર મંદિરના ગોંડલ શહેરમાં જુદા જુદા બાર વિસ્તારમાં ચાલતા સત્સંગ મંડળના હરિભકતો દ્વારા તેઓના નિવાસ સ્થાનેથી અક્ષરદેરી સુધી દંડવત યાત્રા કરવામાં આવી હતી જેમાં છ વર્ષના બાળકથી લઈને ૯૨ વર્ષના વૃદ્ઘ સહિતનાઓ જોડાયા હતા દંડવત યાત્રામાં બાર મંડળના ૩૫૨ પુરુષ અને ૪૩૧ મહિલાઓએ રાજમાર્ગો પર પડેલી ગંદકી ધૂળ કે કચરો જોયા વગર મંદિર સુધી દંડવત કરી ભાવ વંદના કરી હતી બાદમાં મહિલાઓ અને બાળકોએ કળશ મારફત જળ ભરી લાવી દેરી નો અભિષેક કર્યો હતો.

(12:05 pm IST)