Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અનામત મુદ્દે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં દેખાવો

સરકાર કરંડિયામાંથી અનામતનો એરૂ કાઢીને સમાજ વચ્ચે ઘર્ષણ કરાવે છે : પરેશ ધાનાણીનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯ : અનામત મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં દેખાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

આ અંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કરંડિયામાંથી અનામતનો એરૂ કાઢીને સમાજ વચ્ચે ઘર્ષણ કરાવે છે,

સંવિધાનથી મળેલા સૌના અધિકારોનું રક્ષણ થવું જોઇએ અને સૌને ન્યાય મળવો જોઇએ.

એલઆરડીની ભરતીમાં ઉમેદવારોને અનામતનો લાભ ન મળે તે માટે સમર્થન આપવા માંગ કરી હતી. જોકે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચ્યા છે ત્યારે પાટીદારો - કરણી સેનાને સ્થાનિક નેતાઓએ સાંભળીને રવાના કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસે અનામતની તરફેણ કરવા નક્કી કર્યું છે ત્યારે એલઆરડીની ભરતીમાં ઉમેદવારોને અનામતનો લાભ મળે તે માટે સરકાર પરિપત્ર રદ્દ કરે તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો આજે અનામતની તરફેણમાં રસ્તા પર ઉતર્યું છે. આમ, આગામી દિવસોમાં અનામતના મુદ્દે વિવાદ વધુ વકરે તેમ જણાઇ રહ્યું છે.

(12:02 pm IST)