Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભાવનગર એસટી કચેરીમાં થયેલ 8,21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ

ચોકીદારની શંકાના આધારે સઘન ;પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી

 

ભાવનગર એસ.ટી વિભાગય કચેરીના કેશ વિભાગમાં થયેલ ૮.૨૧ લાખની ચોરીનો ભેદ એ.ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો છે  અને આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 પોલીસે એસ.ટી વિભાગીય કચેરીમાં ચોકીદારની નોકરી કરતા મહાવીરસિંહ હરદેવસિંહ સરવૈયા (રહે. ગુરુ આશિષ એપાર્ટમેન્ટ રીંગરોડ ભાવનગર ) ને પોલીસે શંકાના આધારે સધન પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. તેમજ આ ચોરીમાં સામેલ એક અન્ય ૧૬ વર્ષનાં સગીરને પણ પોલીસે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

(1:10 am IST)