Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વાંકાનેરના ધનશ્યામ ઉર્ફે ઘનિયાની હદપારીના હુકમની બજાવણીની તજવીજ

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમના કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ રાણા, સંજયસિંહ જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ વાળાની ટીમે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મોરબીના હદપારી કેસ નં ૧૯/૨૦૧૮-૧૯ તા. ૧૩-૦૧-૨૦૨૦ ના હદપાર ઇસમ ઘનશ્યામ ઉર્ફે ધનીયો જીવરાજ પઢારીયા (ઉ.વ.૩૮) ( રહે વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતિયાપરા વાળા ) ને ૧૨ માસ માટે મોરબી, રાજકોટ શહેર જીલ્લા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર જીલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ હોય જે ઈસમને વાંકાનેર સીટી પોલીસ મથકે લાવી હદપારી હુકમની બજવણી કરી હદપાર કરવા તજવીજ કરેલ છે

(11:31 pm IST)