Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

હળવદના ઘનશ્યામપુરની સીમમા દિપડાના સગડ મળ્યાઃ પાંજરૂ મુકવા તૈયારી

હળવદઃ તા.૨૮, પાછલા પાંચેક દિવસથી હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું ત્યારે ચરાડવા ગામે દીપડો નહીં પણ ઝરખ હોવાનું એક તબક્કે સામે આવ્યું હતું તેવામાં આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે દિપડાના સગડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ જે દિપડાના સગડ જોવા મળ્યા છે તેને થી થોડે દૂર એક પશુનુ મારણ થયું હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યા છે જેથી  બનાવને પગલે વન વિભાગની ટીમ દ્યટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં આ સગડ પવદિપડાના હોવાનું જણાવ્યું છે. તાલુકાના ચડવા ગામની સીમમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા તેવામાં તાલુકાના દ્યનશ્યામપુર ગામે આવેલ ઝાલાભાઇ ની વાડી પાસે દીપડાના પગના નિશાન જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

 બનાવ અંગેની જાણ વનવિભાગના કરાતા સી.એન ગઢાળીયા, વિષ્ણુભાઈ રબારી, કાનાભાઈ આહીર, કનકસિંહ પરમાર, રોહિતભાઈ સોનગરા, પ્રવીણભાઈ  સહિતનાઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને તપાસ કરાતા પ્રાથમિક દ્રષ્ટિએ દિપડા ના પગના સગડ હોવાનું સામે આવ્યું છે તેમજ જે જગ્યા પર દિપડાના સગડ જોવા મળ્યા છે તેને થોડે દૂર એક પશુંનુ પણ માણસ થયું હોવાનું ગામ લોકો જણાવી રહ્યાં છે.  વનવિભાગની ટીમ દ્વારા ઘનશ્યામપુર ગામની સીમમાં સઘન તપાસ હાથ ધરી છે અને તેઓએ જણાવ્યું છે કે જરૂર પડી એ દીપડાને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવશે જેથી ખેડૂતોને કે ગામલોકોને ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ તો દ્યનશ્યામપુર ગામની સીમ વિસ્તારમાં દિપડાના સગડ જોવા મળતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

(1:07 pm IST)