Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

વાલાસણ પધારતા સુન્ની વડા

અચ્છેમિંયાની ઉપસ્થિતિમાં આજે રાત્રે ભવ્ય જલ્સો : અનેક ઉલેમાઓ-મુફતીઓનું આગમનઃ વાંકનેર સહિત સૌરાષ્ટ્રભરના સુન્ની મુસ્લિમ સમાજમાં હર્ષઃ મેદની ઉમટી પડશે

વાંકાનેર તા. ર૮ :.. નજીકના વાલાસણ ગામે ભારતના વડા મુફતી અને આ'લા-હઝરતના પૌત્ર, ત્થા હુઝૂર તાજુ શશરીયાહના સુપુત્ર મુફતી અસ્જદ રઝાખાન સાહેબ આજે પધારી રહયા હોઇ સુન્ની સમાજમાં હર્ષ  વ્યાપી ગયો છે.

સુન્ની મુસ્લિમ જમાત વાલાસણ દ્વારા આજે રાત્રે જશ્ને મહેબુબે સુબ્હાની ના નામે તાજુ શશર્રીયાહ કોન્ફરન્સ યોજવામાં આવી છે જેમાં સુન્ની વડા બરૈલી શરીફ (યુ. પી.) થી પધારી સંબોધના કરનાર છે.

આ ઉપરાંત પ્રથમ જ વાર હઝરત મૌલાના મુફતી ગુલઝાર અહેમદ મિસ્બાહી (જામીઅતુર્ર રઝા-બરૈલી), મુફતી આશિક હુસૈન કાશ્મીરી (બરૈલી), મુફતી અફઝાલ હુસૈન (બરૈલી) ઉપરાંત સૌરાષ્ટ્રના ઉલેમાઓ હાજર રહી સંબોધન કરનાર છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્રભરના સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉમટી પડવા જમાઅતે રઝાએ મુસ્તફા વાંકોર બ્રાન્ચ દ્વારા એક યાદીમાં જાહેર આમંત્રણ અપાયું છે.

(11:47 am IST)