Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જસદણમાં પૂ. હરિરામબાપાની પુણ્યતિથી નિમિતે બેદિવસીય કાર્યક્રમો

ગુરૂ મહિમા પ્રવચન, મહાઆરતી, સુંદરકાંડ-હનુમાન ચાલીસા પાઠ, કિર્તન-રાસ-ભોજન-પ્રસાદનું આયોજન

આટકોટ તા. ર૮ :.. પ.પૂ. સંત શિરોમણી પૂ. હરિરામબાપાની પંચમી પુણ્યતિથી નિમિતે જસદણમાં બેદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે શનીવારે અને કાલે રવિવારે ચાચુડી વાડી, બજરંગનગરની પાછળ, પોલારપર રોડ હરિરામધામ જસદણ ખાતે આયોજીત આ ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

જે અંતર્ગત આજે તા. ર૮ ને શનીવારે સવારે ૮ થી ૯ દરમિયાન પુજાવિધી, સવારે ૯ થી ૧ર શાસ્ત્રી ધર્મેશભાઇ જોષી (મોટા ફોફળીયા)નું ગુરૂ મહિમા પ્રવચન, બપોરે ૧ થી ૩ સીતારામ મંડળ - ખોડીયાર મંડળ -જસદણ દ્વારા સત્સંગ મહિલા મંડળનો કાર્યક્રમ બપોરે ૩ થી ૬ ગુરૂ મહિમા પ્રવચન યોજાશે.

જયારે સાંજે ૬ વાગ્યે મહાઆરતી, અને સાંજના ૭ થી ૮.૩૦ સુધી સુંદરકાંડ પાઠનું જીવદયા મંડળ -આટકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન બન્ને દિવસ બપોરે ૧ર વાગ્યે તથા સાંજે ૬.૩૦ વાગ્યે ભાવિકો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત તા. ર૮ ને શનીવારે રાત્રીના ૮.૩૦ થી ૧૧ સુધી ધારેશ્વર હનુમાન ચાલીસા મંડળ અને તાત્કાલીક  હનુમાન ચાલીસા મંડળ -જસદણ દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું છે.

કાલે તા. ર૯ ને રવિવારે સવારે ૯ થી ૧ર દરમ્યાન પ.પૂ. આત્માનંદજી સરસ્વતી ભજનાનંદ આશ્રમ-બોટાદ,  શ્રીમદ ભાગવતાચાર્ય મહેશભાઇ શાસ્ત્રી (જસદણ) દ્વારા ગુરૂ મહિમા રજુ કરાશે.

બપોરે ૧ર થી ર દરમિયાન મહિલા સત્સંગ મંડળનો કાર્યક્રમ, બપોરે ર થી પ દરમિયાન કિર્તન તથા રાસ રજુ કરાશે. સાંજે ૬ વાગ્યે મહાઆરતી તથા કાલે સાંજે ૭ થી રાત્રીના ૯ દરમિયાન હનુમાન ચાલીસા મંડળ-રામદુત હનુમાન ચાલીસા મંડળ-જસદણ દ્વારા હનુમાન ચાલીસા રજૂ કરવામાં આવશે.

કાલે તા. ર૯ ને રવિવારે રાત્રીના ૯ વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે.  

જેમાં ભજનીક કિશોરગીરી ગોસ્વામી, વર્ષાબેન તલસાણીયા, લોકસાહિત્ય - હાસ્ય કલાકાર પવુભા ગઢવી, અને સ્ટેજ સંચાલક પ્રકાશ  પ્રજાપતિ તથા સાજીંદા ગ્રુપ ગાયત્રી સાઉન્ડ સીસ્ટમ -જસદણના સથવારે સંતવાણી રજૂ કરશે.

ભાવિકોને લાભ લેવા માધાભાઇ નાનજીભાઇ હિરપરા પરિવાર (માધા ભગત) વિરાજ હેન્ડી ક્રાફટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:49 am IST)