Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ગુજરાત એસ.ટીમાં ૧૬૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી આરટીઆઇમાં ખુલાસો

ગોંડલતા.૨૮:  ગોંડલના આર ટી આઈ એકટીવિસ્ટ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેદ્યડા) દ્રારા એસ ટી તંત્ર પાસે માંગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થવા પામ્યો કે એસ ટી મા હજુ ૧૬૦૦૦ થી વધુ જગ્યાઓ ખાલી પડેલી છે. આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં એસ ટી દ્વારા માત્ર ઓછી જગ્યાઓ માટે ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવે છે. એક તરફ એસ ટીમાં કર્મચારીઓના ધટના કારણે ડબલ ડયુટી આપવામાં આવે છે જેની માનસિક અસરના લીધે અનેક વખત અકસ્માત થવા પામે છે ત્યારે આટલા કર્મચારીઓની ખાલી જગ્યા હોવા છતા કેમ ભરતી બહાર પાડવામાં આવતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

(11:50 am IST)