Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.વિજયાબાઇ મહાસતીજી વલસાડમાં કાળ ધર્મ પામ્યા

લીંબડી : લીંબડી અજરામર સંપ્રદાયનાં મહાપ્રભાવક પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પૂ. ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી તથા વડેરા બા. બ્ર. પૂ. સુરજબાઇ મહાસતીજીનાં પટ્ટશિષ્યા તથા પૂ. આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી સ્વામીના આજ્ઞાનું વર્તી વડેરા વિદુષી પૂ. વિજયાબાઇ મહાસતીજી  તા. ર૭ શુક્રવારે સંથારાપૂર્વક સમાધીભાવે વા. વિ. વર્ધમાન સ્થા. જૈન સંઘ વલસાડમાં કાળધર્મ પામેલ છે. તેઓશ્રીની પાલખી શુક્રવારે નીકળી હતી. ગુનાનુવાદ સભા ૩૧ ના રોજ શ્રી વાગડ વિસા ઓસવાલ વર્ધમાન સ્થા. જૈન સંઘ તિથલ ક્રોસ રોડ, જૈનાચાર્ય અજરામરજી માર્ગ, સ્વર્ગાશ્રમ, રોડ, રજની ગંધા સોસાયટીની બાજુમાં વલસાડ ખાતે રાખેલ હોવાનું પ્રમુખ જેસંગ ચાંપશી છેડાની યાદીમાં જણાવેલ છે.

(11:28 am IST)