Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પોરબંદરની છાંયા પોસ્‍ટ ઓફિસમાં વારંવાર ધક્કાથી ગ્રાહકો પરેશાન

પોરબંદર, તા. ૨૦ :. છાંયા પોસ્‍ટ ઓફિસના વહીવટથી લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. લોકો ડીપોજીટ કરાવવા જાય સેવિંગ્‍સ એકાઉન્‍ટ ખોલાવવા જાય કે એજન્‍ટો જાય ત્‍યારે જવાબ મળે છે કે બે દિવસ પછી આવજો ૧૦ દિવસ પછી આવજો, ૧૫ દિવસ પછી આવજો, સ્‍ટાફ નથી કોમ્‍પ્‍યુટર બંધ છે. અનેક બહાના બતાવી ગ્રાહકોને પરત મોકલે છે.

આવી અનેક ફરીયાદ મળતા ક્રિષ્‍નાબેન ઠાકર દ્વારા પોસ્‍ટ માસ્‍તર જનરલ અમદાવાદ પત્ર દ્વારા રજુઆત કરવામાં આવેલ કે બ્રાન્‍ચ પોસ્‍ટ ઓફિસમાં કામ રહેતુ હોય તો પછી છાંયા ચોકીની પોસ્‍ટ ઓફિસ ક્‍યા કારણે બંધ કરી ? સ્‍ટાફ કામના ભારણની કારણે પહોંચી નથી શકતા ગ્રાહકો ધક્કા ખાઈ છે

(10:58 am IST)