Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જૂનાગઢની લીલી પરિક્રમામાં ત્રણ દિવસમાં વિવિધ કારણોસર 5 પરિક્રમાર્થીઓના મૃત્યુ

નળ પાણીની ઘોડી ખાતેથી અત્યાર સુધીમાં 8.70 લાખ પરિક્રમાર્થીઓ પસાર થઇ ચૂક્યા

જૂનાગઢની લીલી પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટી પડતા હોય છે. જેમાં જુદા જુદા કારણોસર મૃત્યુના બનાવો પણ બનતા હોય છે. ત્યારે આ વર્ષે  લીલી પરિક્રમામાં 3 દિવસમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે.

    એક અંદાજ મુજબ નળ પાણીની ઘોડી ખાતેથી અત્યાર સુધીમાં 8.70 લાખ પરિક્રમાર્થીઓ પસાર થઇ ચૂક્યા છે. યાત્રિકોનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ જ છે. જે પરિક્રમાના ઇતિહાસમાં સૌથી વધુ યાત્રિકોના રેકોર્ડ બ્રેક કરે તેવી શકયતાઓ છે. આટલી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓના ખિસ્સા કાપતા 13 ખિસ્સા કાતરુઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.

(10:32 pm IST)