Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જુનાગઢના જોષીપરામાં અન્ડરબ્રીજમાં બીજા દિવસે પણ ગોઠણડુબ પાણી

જુનાગઢઃ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલ અન્ડરબ્રિજમાં ગઇકાલથી વગર વરસાદે ગોઠણડુબ પાણી ભરાયુ હતું. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે. અંડરબ્રીજની આજુબાજુની દિવાલમાં પડેલ કાણાઓમાંથી આવતુ પાણી અવાર-નવાર ભરાય જાય છે. કોર્પોરેશન દ્વારા આ પાણી ઉલેચવા માટે મોટર પણ રાખવામાં આવેલ છે છતા પણ કોઇ કારણોસર આ પાણીનો નિકાલ ન થતા આશરે ર૦૦ થી વધુ સોસાયટીના રહીશો ફરજીયાત સરદારપરાના રેલ્વે ફાટકે થઇને હાલવાની ફરજ પડી છે આ પાણીનો તાત્કાલીક નિકાલ થાય તેવી લોક માંગણી થઇ રહી છે.(અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:30 am IST)