Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

અમરેલીના આંકડીયા પાસે અકસ્માતમાં કોટડાનાયાણીના બીજા મજૂરનું પણ મોત

બાઇકને અજાણ્યા વાહને ઠોકરે લીધુ હતું: ગઇકાલે પુર્નાસિંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યા બાદ સાંજે સુમરીયાનો પણ જીવ ગયો

રાજકોટ તા. ૨૮: વાંકાનેરના કોટડાનાયાણી ગામના બે મજૂર યુવાનને અમરેલીના આંકડીયા ગામ પાસે અકસ્માત નડતાં બંનેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એકનું સારવાર દરમિયાન સવારે મોત નિપજ્યું હતું. બીજાનું ગત સાંજે મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ હાલ વાંકાનેરના કોટડાનાયાણી ગામે રહેતો પુરનાસિંગ માનસિંગ (ઉ.વ.૨૧) તથા સુમરીયા શંકરભાઇ માવડા (ઉ.૩૫) ગઇકાલે બાઇક લઇને કામ સબબ અમરેલીના આંકડીયા ગામ તરફ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ વાહનની ઠોકરે બાઇક ચડી જતાં બંને ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં બંનેને અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પુરનાસિંગનું સવારે જ સારવારમાં મોત નિપજ્યું હતું. એ પછી સાંજે સુમરીયાએ પણ દમ તોડી દેતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇએ કાગળો કરી અમરેલી જાણ કરી હતી.

(11:42 am IST)