Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

હળવદના ટીકર રોડ પર હનુમાનજી મંદિરના મહંતને માર મારી લૂંટ: આરોપીની શોધખોળ

મધરાત્રે ચોખાની બે બોરી,તેલનો ડબ્બો અને 30 હજાર રોકડ સહિતની લૂંટ

હળવદ ના ટિકર રોડ પર આવેલ પૌરાણિક મકાસરી હનુમાનજી મંદિર ખાતે મહંત દયાલગીરી મહારાજ ને માર મારી અને અવારા તત્વો દ્વારા લૂંટ કરવામાં આવી હતી

 મળતી વિગત મુજબ હળવદ ના ટિકર રોડ પર પૌરાણિક શ્રી મકારી હનુમાનજી મંદિર આવેલ છે જેમાં આશરે છેલ્લા ત્રીસ વર્ષ થી મહંત દયાલગીરીજી મહારાજ ભગવાન ની સેવા પૂજા , અખંડ ધુણો ધખાવી અને આશરે 300 જેટલા શ્વાનો ને દૂધ અને ચોખા રાંધી અને જમાડી ની:સ્વાર્થ સેવા યજ્ઞ વર્ષો થી ચલાવી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે 2 થી 3 વાગ્યા ના સુમારે અજાણ્યા બુકાની ધારી શખ્સો એ બાપુ ને લાકડી દ્વારા માર મારી અને લૂંટ ચલાવી હતી

  જેમાં બાપુ શ્વાનો (કુતરાઓ) ને ખવડાવવા માટે લાવેલ ચોખાની ની બે(૨) બોરી એક(૧) તેલ નો ડબો અને બાપુના જોલા માંથી રોકડા રૂપિયા 30 હજાર તેમજ મોરછાપ સહિત ની વસ્તુઓ ની લૂંટ ચલાવામાં આવી હતી અને ગેસ નો બાટલો પણ ઉઠાંતરી કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો પણ તે દરવાજા પાસે જ છોડી અને છકડો રીક્ષા માં બધી વસ્તુઓ લૂંટી ચાલ્યા ગયા હતા આ અંગે પોલીસ ને જાણ કરતા હળવદ પી.એસ.આઈ પી.જી.પનારા અને બીટ જમાદાર પ્રવીણભાઈ પટેલ જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાપુ ની ફરિયાદ ના આધારે આગળ ની કાર્યવાહી કરી અને આરોપીઓ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે

(12:53 am IST)