Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વડિયામાં કંદોઈની દુકાનમાં લાગી આગ..

 

વડિયાઃ કૃષ્ણપરા વિસ્તારમાં આવેલ ગીરીશભાઈ નામના કંદોઈની દુકાનમાં આગની દ્યટના બની છે અને ઘટના બનવાનું કારણ એવું છે કે કંદોઈ પોતાની દુકાનમાં ત્રણ કિલો તેલ ચુલ ઉપર ગરમ કરવા મૂકયું હતું અને તેલ ઉભરાઈ જતા મસમોટી આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ પાણી દ્વારા આગ પર કાબુ મેળવ્યો આગ લાગતા દુકાનનો કાટમાળ સહિત ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી જો કે દિવાળીના તહેવાર નિમિતે બે પૈસા કમાવવા ની આશાએ કંદોઈ એ મીઠાઈ બનાવવા માટે તેલ મૂકયું હતું ચુલા ઉપર અને અચાનક દુકાનમાં આગની ઘટના બનતા કંદોઈ નો જીવ બચાવીને બહાર નીકળી ગયા અને સદનસીબે મોટી દુર્ઘટના થતા થતા ટળી હતી.(તસ્વીર-અહેવાલઃ ભીખુભાઇ વોરાઃ વડિયા)

(11:35 am IST)