Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનુ આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષથી વિકાસ, પ્રગતિના રાહે સતત આગળ વધી ઉત્તમથી સર્વોતમ બને તેવી ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

વેરાવળ-પ્રભાસ પાટણ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દ્વાદશ જયોર્તિલિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં રવિવારે સવારે ભકિતભાવ પૂર્વક આરતી અને પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષ થી વિકાસ,પ્રગતિના રાહે સતત આગળ વધી ઉત્ત્।મ થી સર્વોત્ત્।મ બને તેવી પ્રાર્થના ભગવાન સોમનાથના ચરણોમાં કરી હતી. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજકોટ ભાજપ અગ્રણી- પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ સહિતના જોડાયા હતા.

(11:59 am IST)