Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જામજોધપુરમાં દિવ્યાંગોને સાધન અપાયા

જામજોધપુર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ, જામજોધપુરમાં દિવ્યાંગજનોના સશકિતકરણના હેતુથી સામાજિક આધિકારીતા શિબિરના ત્રીજા તબકકાનું સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ન.પા. ઉપપ્રમુખ નરેન્દ્રભા કડીવાર, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા તથા વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતીમાં આયોજન થયુ હતુ. આ તકે ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૯૮ સાધનોની સહાય કરેલ અને ૨૪૮ લોકોએ લાભ લીધો હતો.

(11:57 am IST)