Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ભાવનગરમાં કોરોનાનો કેર આજે રવિવારે પણ પાંચ કેસ નોંધાતા ફફડાટ : જિલ્લાના કુલ કેસ ર૩૮ થયા : તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગર તા.28; ભાવનગરમાં કોરોનાવાયરસ ના કેસો સતત વધી રહ્યા છે .આજે રવિવારે બપોર સુધીમાં જ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભાવનગર જિલ્લાનો કોરોના પોઝિટિવ નો ખુલ્લા વધીને ૨૩૮ થવાનો છે.

ભાવનગરમાં કોરોના ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે .આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. શહેરના નિર્મળનગર શેરી નંબર 5 માં રહેતા હિરેન નરોત્તમભાઈ ગોહીલ ઉ.વ.40 ,રૂપાણી સર્કલ શશી પ્રભુ ચોક પાસે રોયલ ઓર્કિડ ના રહેતા ગૌરવ ગણપતભાઇ માથુર ઉ.વ. ૩૫ જેઓ આંબાચોક બ્રાન્ચ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર છે, સરિતા સોસાયટી શેરી નંબર 3 માં રહેતા અને મારુતિ ઇમ્પેક્ષ માં કામ કરતા ગંગારામ મધુભાઈ સોલંકી ઉ.વ.52 તથા બોર તળાવ રોડ વિસ્તારમાં રહેતા બંસી બેન પરબતભાઈ ઉ.વ.25 વર્ષ તથા અમદાવાદ થી આવેલ અને શહેર ના મરીન સોસાયટી જેલરોડ ખાતે રહેતા વિક્રમભાઈ પટેલ ઉ.વ.62 ના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ ને ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. અત્યાર સુધી ભાવનગર જિલ્લા નો કોરોના પોઝિટિવ નો  કુલ આંક ૨૩૮ થવા પામ્યો છે.

(3:30 pm IST)