Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

તળાજામાં 2,12 કરોડના ખર્ચે બનેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ

દિવ્યાંગો માટે અલગ સ્લોટ અને શૌચાલયો:મહિલાઓ માટે અલગથી આરામ ગૃહની પણ વ્યવસ્થા

ભાવનગર જિલ્લાના તળાજામાં 2 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું આ  નવા બંધાયેલા બસ સ્ટેશનને પ્રિકાષ્ટ મોડેલથી તૈયાર કરવામાં આવ્યું છે અને દિવ્યાંગો માટે અલગ સ્લોટ અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે.તેમજ મહિલાઓ માટે અલગથી આરામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક પ્રકારના જેવા કે પેપર, રમકડાં, કેન્ટીન સહીતના સ્ટોલો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને અહીંના ડેપોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે.

(11:19 pm IST)