Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબી અને ટંકારા તાલુકામાં કોરોનાના ૦૬ કેસ, ત્રણ તાલુકામાં શૂન્ય કેસ: જીલ્લામાં ૫૨ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી અને ટંકારા તાલુકામાં આજે કોરોનાના ૦૬ કેસ નોંધાયા છે જયારે ત્રણ તાલુકામાં આજે રાહત જોવા મળી છે જીલ્લામાં ૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૪ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના 02 કેસ ગ્રામ્ય પંથકમાં મળીને માત્ર ૦૬ નવા કેસ નોંધાયા છે તો વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકામાં આજે રાહત જોવા મળી હતી નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં વધુ ૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે એકપણ દર્દીનું મોત થયું નથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૫૧ થયો છે

(9:36 pm IST)