Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબી નજીક છકડો રીક્ષા પલટી મારી જતા હળવદના ચાલકનું મોત

મોરબી તા. ૨૮ : હળવદ બસ સ્ટેન્ડ પાછળ વડનગરમાં રહેતા દેવશીભાઈ મેરૂભાઈ ભાડકા (ઉ.૪૩) એ પોતાની છકડો રીક્ષા જીજે ૧૩ ટી ૬૯૭૯ વાળી લઈને તા.૨૫ ના હરીપર(કેરાળા) ગામે જીરૂનો તોલ કરવા ગયેલ અને તોલ પૂરો કરી રાત્રીના આશરે સાડા નેવક વાગ્યે હરીપર થી હળવદ આવવા તેની રીક્ષા લઈને નીકળેલ દરમિયાન હરીપર ગાળા વચ્ચે આવેલ કેનાલ પાસે સિંગલ પટ્ટી રોડમાં થોડોક કાચો આવતો હોય ત્યાં આવતા પોતાની રીક્ષા બેદરકારી અને પુર ઝડપે ચલાવી રીક્ષા પરથી કાબુ ગુમાવતા છકડો રીક્ષા કેનાલના પાણીના ખાડામાં પલટી મારી જતા ચાલક રીક્ષા નીંચે દબાઈ જતા મરણજનાર દેવશીભાઈ મેરૂભાઈ ભાડકાનું મૃત્યુ નીપજયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રંગપર નજીક સિરામિકમાં કામ કરતી વેળાએ પડી જતા મોત

રંગપર ગામની સીમમાં આવેલ કેશવાનંદ સિરામિકમાં કામ કરતા કોમલ વન્સલ (ઉ.વ.૩૨) નામના યુવાન તા. ૨૬ ના રોજ કારખાનામાં ભઠીમાં કામ કરતી વેળાએ ભઠી પરથી પડી જતા મોત થયું છે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમિયાનગર સોસાયટીમાં મહિલાનો આપઘાત

અહીં સામાકાંઠે સો ઓરડીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીના રહેવાસી જોશનાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૪૩) નામની મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૃતક મહિલા છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય જેની દવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

ટંકારાના હડમતીયા ગામે યુવાનનો આપઘાત

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિજય જનકભાઈ સોલંકી બારોટ (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જે બનાવ મામલે તપાસ ચાલવતા આઈ ટી જામ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પોતાના બા સાથે રહેતો હોય અને એકાદ માસ પૂર્વે બા ગુજરી ગયા હોય જેથી પોતે એકલો ગુમસુમ રહેતો હતો અને આવેશમાં આવી અંતિમ પગલું ભરી લીધું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

મોરબીમાં મેલડી માતાજીના મંદિરમાં દાનપેટી ઉખાડી ચોરી

મોરબીના વિસીપરા રાજ બેકરી સામે રહેતા હિતેશભાઈ જયતિભાઈ દેગામાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે ગત તા.૨૬ ના રાત્રીના કોઈ અજાણ્યા બે ઇસમોએ વિસીપરા સ્મશાન પાછળ નદીના પટમાં મેલડી માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મંદિર અંદર રાખેલ દાન પેટી ઉખાડી દાન પેટીનો દરવાજો કોઈ પણ રીતે ઉચો કરી અંદર રાખેલ આશરે ૨૦૦૦ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાની માહિતી મળી છે.

(12:57 pm IST)