Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જૂનાગઢ મ.ન.પા. એડવાન્સ મિલ્કત વેરો ભરનારને ૧૦% વળતર આપશે

ઓનલાઇન વેરો ભરનારને વધુ ૨% વળતર : ૩૦ જુન સુધી આ યોજનાનો લાભ પ્રામાણીક કરદાતા ઓનલાઇન લઇ શકશે

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ,તા.૨૮ : મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કત ધારકોને જાણ કરવામાં આવે છે કે, ઘરવેરા શાખાના વર્ષ ૨૦૨૧/રર ના નાણાકીય વર્ષમાં પાછલી બાકી રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષની રકમ ભરપાઈ કરવામાં આવશે તો રહેણાંક તથા બિનરહેણાંક મિલ્કતમાં તા.૩૦ જુન સુધી ૧૦% વળતર તેમજ ઓનલાઈન ભરપાઈ કરવામાં આવ ેતો વધારાતનું૨% મળી કુલ ૧ર%  વળતર આપવામાં આવશે. વળતરનો લાભ લેવા માટે અગાઉના વર્ષના હાઉસટેકસના બિલ પરથી ચાલુ નાણાકીય વર્ષ સને.૨૦ર૧/ર૨ર ના વર્ષનો હાઉસટેકસ સ્વીકારવામાં આવશે.

ઉપરોકત ડીસ્કાઉન્ટનો લાભ લેવા આથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કત ધારકોને વળતરનો લાભ લેવા તંત્ર વાહકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:45 pm IST)