Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રૂ. ૫૭૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨૩ પ્રજાલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઇઝ-૨નું ઇ-ખાતમુહૂર્ત

રાજકોટ તા ૨૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે અમદાવાદના નગરજનો માટે અંદાજે કુલ રૂ. ૫૭૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨૩ વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા નવીન બ્રિજ, BRTS પ્રોજેકટ અંતર્ગત ઈલેકિટ્રક બસ, વોટર પ્રોજેકટ, ગાર્ડન પ્રોજેકટ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીના નવિનીકરણનું ઈ-લોકાર્પણ જયારે બ્રિજ પ્રોજેકટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઇઝ-૨, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયમ શાળાનું આવતીકાલ સવારે ૧૦.૩૦ કલાકે ગાંધીનગરથી ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

(11:49 am IST)