Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નિજ મંદિર બંધઃ પૂનમે દ્વારકાધીશજીના દર્શન ભાવિકોએ બહારથી જ કરી ધન્યતા અનુભવી

જામનગર, રાજકોટ, ખંભાળીયા, અમદાવાદ સહિતના ગામોમાંથી ભાવિકો આવ્યા

દ્વારકા તા.ર૮ :  વૈશાખસુદની પૂનમનો મોટી સંખ્યામાં ભાવિકો કોરોનાના કારણે દ્વારકાધીશ મંદિર બંધ હોવાથી મંદિર પરિસરના પ્રવેશ દ્વારા ભાવિક ભકતોએ કાળીયા ઠાકોરને મસ્તક નમાવી બહારથી દર્શન કરી ભકિતભાવ સાથે શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો.

દ્વારકાધીશજીના દર્શન કરવા દર પુનમના દિને વર્ષોથી ભાવિકો આવતા હોય છે. કેટલાક ભકતો વ્રત પણ રાખેલ હોવાથી તેમની શ્રદ્ધા મુજબ મંદિર બહારથી ઠાકોરજીને હાથ જોડી ધ્વાજાજીનો દર્શન કરીને પોતાનો ભકિત ભાવ પ્રગટ કરી ગોમતી સ્નાન કર્યુ હતું.

ખાસ કરીને જામનગર, રાજકોટ, ખંભાળીયા, અમદાવાદ ત્થા ગુજરાતના જુદા જુદા મથકો અને ગામેગામથી ભાવિકો દ્વારકા પહોંચ્યા હતા.

(11:48 am IST)