Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભાવનગરમાં કોરોના બે ના મોત, ૫૦ કેસ

ભાવનગર તા.૨૮ : જિલ્લામાં વધુ ૫૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૦૦૮ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૨૦ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૩૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે સિહોર તાલુકામાં ૧૪ તેમજ તળાજા તાલુકામાં ૫ કેસ મળી કુલ ૧૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને ગારીયાધાર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧૭ અને તાલુકાઓમાં ૫૮ કેસ મળી કુલ ૧૭૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૨૧,૦૦૮ કેસ પૈકી હાલ ૮૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૮૦ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:35 am IST)