Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કચ્છના ૧૮ મા મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાનું દુઃખદ નિધન: બપોરે કોવિડ ગાઈડલાઈન અનુસાર અંતિમ દર્શન

અલગ કચ્છ માટે માંગ કરનાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા મિલનસાર સ્વભાવ ધરાવતા માયાળુ રાજવી હતા

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છના વર્તમાન મહારાઓશ્રી પ્રાગમલજી જાડેજાનું આજે વહેલી પરોઢે ભુજ મઘ્યે દુઃખદ નિધન થયું છે. ૮૫ વર્ષીય મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા કચ્છના ૧૮ મા મહારાઓ હતા. તેમના અંતિમ દર્શન આજે ભુજ મઘ્યે રણજીતવિલાસ પેલેસ મધ્યે બપોરે ૧૨ થી ૧ દરમ્યાન કોવિડ ગાઈડ લાઈન અનુસાર થશે. કચ્છને રાજકીય અન્યાય થઈ રહ્યો હોવાનું માનતા મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા મિલનસાર સ્વભાવ ધરાવતા માયાળુ રાજવી હતા. તેમના દુખદ નિધન અંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા સહિત અન્ય ક્ષત્રિય ભાયાતો, રાજકીય અને સામાજિક આગેવાનોએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે.
 

(9:55 am IST)