Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવના ૩ દર્દીઓમાં બેની હાલતમાં સુધારોઃ ૧ વેન્ટીલેટર ઉપર

પોરબંદર તા. ર૮ :.. સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં હાલ કોરાના પોઝીટીવમાં ૩ દર્દીઓની સારવાર ચાલી રહી છે આ ૩ દર્દીઓમાં ર દર્દીઓની હાલત સુધારા ઉપર છે. બાકી એક ગોસા ઘેડના દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ છે.

ત્રણેક દિવસ પહેલાં ગોસા ઘેડના પ૦ વર્ષના પુરૂષ મુંબઇથી વતન આવ્યા બાદ તેમનો કોરાના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો અને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ આ દર્દીની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટીલેટર ઉપર રાખી સારવાર અપાઇ રહી છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કોરોના  પોઝીટીવના કુલ ૮ કેસ આવ્યા છે જેમાં પ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘેર મોકલી આપેલ છે.

(1:01 pm IST)