Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામનગરના ચાપરા ગામે પતિ સાથે ઝઘડો થતા પતિનો આપઘાત

જામનગર તા. ૨૮ : કાલાવડ તાલુકાના ચાપરા ગામે રહેતા રાજુભાઈ કમલસીંગભાઈ વસુનીયા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સીમાબેન રાજુભાઈ કમસીંગભાઈ વસુનીયા, ઉ.વ.ર૦, રે. ચાપરા ગામવાળા જીદી સ્વભાવના તથા ગુસ્સાવાળા સ્વભાવના હતા ને મરણજનાર સીમાબેન નાની બાબતોમાં ગુસ્સો કરતા હોય અને જેના કારણે આજરોજ સવારમા તેના પતિ રાજુભાઈ સાથે ડુંગરી ભરવા બાબતે ઝઘડો થયેલ હોય જે બાબતનું મનમાં રાખી ગુસ્સો આવતા મરણજનાર સીમાબેન સવારના દસેક વાગ્યે પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવારમાં લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

માનસીક બિમારીથી કંટાળી જઈ પરણિતાએ જાતજલાવી

અહીં જી.જી.હોસ્પિટલના ડો. ડી.પી.વસાવડા એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે  મંજુલાબેન જયેન્દ્રપુરી ગોસાઈ, ઉ.વ.૬પ, રે. નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, નાગરેજીમાતા ના મંદિર સામે, ગાયત્રી ચોક પાછળ, જામનગરવાળા છેલ્લા બે માસથી માનસીક બિમાર હોવાના કારણે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી જાતે સળગી જઈ સારવારમાં દાખલ થતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયેલ જાહેર કરેલ છે.

ભુલથી એસીડ પી જતા યુવાનનું મોત

ધ્રોલ ગામે રહેતા મનસુખભાઈ ભવાનભાઈ પરમાર એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજેશભાઈ ભવાનભાઈ પરમાર, ઉ.વ.૪પ, રે. દરજી શેરી, ધ્રોલવાળાને પાણીની તરસ લાગતા પાણી પીવા ઉઠેલ ત્યારે ભુલથી તેઓથી પાણીના શીશાના બદલે એસીડના શીશામાંથી થોડુ એસીડ પી જતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે. આ અંગે પોલીસના એ.એસ.આઈ. એમ.પી.મોરી તપાસ ચલાવી રભ છે.

સાપ કરડી જતા વૃઘ્ધાનું મોત

ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા હરીભાઈ ભીમાભાઈ ડાંગર એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે  કે,  કુવરબેન ભીખાભાઈ ડાંગર, ઉ.વ.૬૬, રે. રોજીયાગામ વાળાને કોઈ કારણોસર ઘરમાં ઝેરી સાપ નીકળતા કરડી જતા મરણ ગયેલ છે.(

(12:53 pm IST)