Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જેતપુરમાં સગીર પરના દુષ્કર્મના આરોપીને છાવરનાર પોલીસ કર્મી સામે પગલાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

નવાગઢ,તા.૨૮ :  જેતપુરમા સગીર વિધાર્થીની ઉપર થયેલ ગેંગરેપ કે જેમા આરોપીઓ ઘણી બધી અસામાજીક પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે અને આવી જ રીતે આ ગેંગ દ્રારા બીજી અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા તથા તેમની અંગતપળોને મોબાઈલમા રેકોર્ડ કરી અન્ય મિત્રો ને શારિરીક સબંધો બાંધવા માટે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપતા હોય છે.

આવા બનાવ બને ત્યારે દેવાયત આહિર જેવા પોલીસમેન આરોપીઓને છાવરવા પરીવારને ગર્ભીત ધાક-ધમકી આપી ડરાવતા હોય છે જેને લીધે ઘણીવાર આવા બનાવો નો ભોગ બનેલ યુવતી ડરી જતી હોય છે. અને ફરીયાદ કરવા નું ટાળતી હોય છે.

 પોલીસની ઢીલી નીતી અને આરોપીઓ પ્રત્યે કુણુ વલણ દાખવી આરોપીઓને છાવરે છે. અને ફરીયાદીઓને ધમકાવે છે માટે આવા પોલીસ અધીકારીઓ પર આકરા પગલા લઈ અને ડિસમીસ કરવા જોઇએ જેથી આવા બનાવો બંધ થાય તેવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ મામલતદાર  અને એ.એસ.પીને આવેદન પત્ર આપ્યું. આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ઉગ્ર આંદોલન કરશે.

(12:00 pm IST)