Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પીઢ ગાંધી વાદી અને કોંગ્રેસ અગ્રણી ત્રિકમ બાપા ઘેટીયાની વિદાય

રાજકોટઃ જેતપુર તાલુકાના પીઠડીયા ગામના વતની અને મા-ઉમિયા તથા નાગબાઇના ઉપાસક તેમજ જેતપુર તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઇ હીરજીભાઇ ઘેટીયાનું રાજકોટ મુકામે ૯૪ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે.

તેઓ  માજી વડા પ્રધાન મોરારજી દેશાઇની પ્રેરણાથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. અને સરપંચ પદે રહીને ગ્રામજનોની નિસ્વાર્થ સેવા કરી હતી તેમજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરથી પ્રગટ થતુ સામાયિક ઉમિયા  પરિવારના પ્રકાશક તરીકે સેવા આપીને ૪ હજાર લોકોને સભ્ય બનાવી યશસ્વી કામગીરી કરેલ હતી.

તેઓ ચુસ્ત ગાંધી વાંદી હતા અને જીવન પર્યન્ત  ખાદી પહેરીને ગાંધીજીના વિચાર મુજબ જીવન જીવી ગયા તેમના જીવન મા ભગીરથ દિકરીઓે વેલસેટ કર્યા એટલુ જ નહિ અનેક નિરાધારના આધાર બની ગયેલા ત્રીકમબાપા હવે આપણી વચ્ચે નથી. તેમના અવસાન નિમિતે ટેલીફોનીક મેસેજથી શ્રધ્ધાંજલી પાઠવનારા હજારો લોકોનો સર્વે કુટુંબીજનોએ આભાર વ્યકત કરેલ છે. સદ્ગત પુર્ણ આયુષ્ય ભોગવીને એક કર્મયોગીને છાજે તેવુ તેજસ્વી તેવુ તેજસ્વી, પવિત્ર અને ભકિતયુકત જીવન જીવી ગયા તે સ્વ. ત્રિકમ બાપાની વધારાની લાયકાત હતી. તેમ એડવોકેટ નોટરી શ્રી રમેશ ઘોડાસરા મો.૭૨૦૨૦ ૭૭૭૭૭ની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)